(‘સોનાની છાત્રાલય’… ….પોરબંદર)
નથી આ મુકામ પર મારા દહાડા જાજા.
આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.
ટીંપુક પ્યાર માટે હું તરસું શા થી?
અહીં તો છે ભૈ સ્નેહના ફૂવારા જાજા.
એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,
એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના બારણા જાજા.
કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,
ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.
અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,
કે જેણે સંઘર્યા છે મારા પગલા જાજા.
વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,
‘આરઝુ’ અમારા અંતરના ઓવારણા જાજા.
રાજેશ જોશી ‘આરઝુ’
(પંકજભાઇ! … ….ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)
મારા એક ‘ફેસબુક’ મિત્ર એ મારીએ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’ પર મુકેલો કે જ્યાં મે મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમના–વિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ–૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળા એ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં વિતાવ્યો છે.