Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2011

(‘સોનાની છાત્રાલય’…                                     ….પોરબંદર)

નથી આ મુકામ પર મારા દહાડા જાજા.

આપ્યા છે આ મુકામે મને સંભારણા જાજા.

ટીંપુક    પ્યાર   માટે હું   તરસું   શા   થી?

અહીં  તો  છે  ભૈ  સ્નેહના   ફૂવારા  જાજા.

એમ તો હતી ક્યાં જાહેરમાં પહેચાન અમારી,

એણે જ તો ખોલ્યાં છે પ્રગતિના  બારણા જાજા.

કેમ કરીને અળગો થઈશ આ પ્રેમના મંદિરથી,

ખરેખર થૈ જશે ત્યારે દિલના ભાગલા જાજા.

અષાઢના ચકલાની માફક ન્હાઈ લૈ એની ધુળમાં,

કે   જેણે  સંઘર્યા  છે  મારા પગલા  જાજા.

વિસ્મૃતિથી વેગળી આ સોનાની છાત્રાલયને,

‘આરઝુ’  અમારા અંતરના ઓવારણા  જાજા.

રાજેશ જોશી ‘આરઝુ’

(પંકજભાઇ! …            ….ત્યાં મારો ગુલમહોર હતો તે ક્યાં?)

મારા એક ‘ફેસબુક’  મિત્ર એ મારીએ છાત્રાલયનો ફોટો ‘ફેસબુક’  પર મુકેલો કે જ્યાં મે  મારી મોટાભાગની તરુણાવસ્થા વિતાવી છે. એ પ્રેમનાવિદ્યાના મંદિરની તસ્વીર જોઇને મારી એપ્રિલ૧૯૯૩ માં એ છાત્રાલયની વિદાયવેળા એ લખેલી એક કવિતા યાદ આવી ગઈ. જે અર્પણ કરુ છુ એજ ‘સોનાની છાત્રાલય’ને અને એ છાત્રોને કે જેણે એમની જીંદગીનો સોનેરી સમય ત્યાં  વિતાવ્યો છે.

Read Full Post »